📰 શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગનો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો!

👉 ખેડબ્રહ્મા:
ખેડબ્રહ્મા શહેરની સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ભવ્ય ચતુર્વિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના હોદ્દેદારગણ અને મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

🎯 કાર્યક્રમની વિશેષતાઓ:

➡️ સ્થળ: શ્રી જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા
➡️ અધ્યક્ષ: નિકુંજભાઈ ચૌહાણ
➡️ વિશિષ્ટ મહેમાન:

  • ડો. શૈલેષભાઈ પટેલ
  • ડો. દુષ્યંતભાઈ દરજી
    ➡️ વિશેષ ઉપસ્થિતિ: આચાર્ય સુરેશભાઈ પટેલ

🌟 કાર્યક્રમની રૂપરેખા:

✅ શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી.
✅ શ્રેષ્ઠ વર્ગ તરીકે ધોરણ 7 બ ને સન્માનિત કરવામાં આવ્યું.
✅ વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા.
સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા.

🏆 વિશિષ્ટ સન્માન:

  • જૈનિલ શૈલેષભાઈ પટેલ (ધોરણ 8)
    • ઓનલાઇન ઓલમ્પિયાડમાં શ્રેષ્ઠ દેખાવ બદલ શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
    • માર્ગદર્શન માટે ગુરુજી દુષ્યંત સિંહ ને પણ પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાયા.

🎓 ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છાઓ:

✅ ધોરણ 8 ના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે કંકુ તિલક કરી શુભેચ્છાઓ પાઠવાઈ.

🏅 શ્રેષ્ઠ વર્ગ અને શ્રેષ્ઠ વિદ્યાર્થી પુરસ્કાર:

  • છેલ્લા ત્રણ વર્ષથી શ્રેષ્ઠ વર્ગ અને શ્રેષ્ઠ વિદ્યાર્થીને શિલ્ડ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સ્ટેશનરી માર્ટના પ્રમુખ નિકુંજભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવે છે.

🙏 ઉપસ્થિતિ અને આભાર વિધિ:

ટ્રસ્ટના પ્રમુખ: જેઠાભાઈ પટેલ
મંત્રી: રાજાભાઈ પટેલ
શાળાના આચાર્ય: સુરેશભાઈ પટેલ
આભાર વિધિ: મનુભાઈ ગોતીયા દ્વારા કરાઈ

🔎 અહેવાલ: ચંદ્રકાંત પ્રજાપતિ, સાબરકાંઠા