વેરાવળ:
સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવાય છે. યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવીને લોકો તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકે તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ચોપાટી પર ખાસ ઉગતા સૂર્યની સાક્ષીએ બહેનો દ્વારા યોગ અભ્યાસ યોજાયો હતો. આ બહેનો નિયમિતપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરમાં જોડાયેલી છે. યોગ કોચના માર્ગદર્શન હેઠળ તેમણે તાડાસન, નૌકાસન, વજ્રાસન, વૃક્ષાસન જેવા વિવિધ આસનો દ્વારા યોગ કર્યો હતો.
આ ઉપક્રમે એક દ્રઢ સંદેશો આપવામાં આવ્યો કે રોજિંદા જીવનમાં યોગ અપનાવવાથી મન-શરીર સ્વસ્થ રહે છે અને જીવનશૈલી વધુ અનુરૂપ બને છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટીફાઈડ યોગ કોચો અને ટ્રેનરો દ્વારા સમગ્ર જિલ્લામાં ૨૧મી જૂન સુધી ‘કોમન યોગ પ્રોટોકોલ’નું મફત તાલીમ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં લોકો ઉમંગપૂર્વક જોડાઈ રહ્યા છે.
🖊️ અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ