ભાવનગર-હરિદ્વાર ટ્રેનમાં બે જનરલ કોચમાં કાયમી વધારો કરાયો.

ભાવનગર
ઉનાળાની રજાઓમાં ટ્રેનોમાં વધારાના મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ-હરિદ્વાર-ભાવનગર ટર્મિનસ ટ્રેન સેવામાં બે સેકન્ડ ક્લાસ કોચ કાયમી ધોરણે વધારી રહ્યું છે.

ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર ટ્રેન 19271/19272, ભાવનગર ટર્મિનસ-હરિદ્વાર-ભાવનગર ટર્મિનસ રેલ સેવામાં 10 જૂનથી ભાવનગર ટર્મિનસ થી અને 12 જૂનથી હરિદ્વારથી બે સેકન્ડ ક્લાસ કોચમાં કાયમી વધારો કરવામાં આવી રહ્યો છે.આ વધારા પછી, આ ટ્રેનમાં 2 સેકન્ડ એસી, 4 થર્ડ એસી, 8 સેકન્ડ સ્લીપર, 4 સેકન્ડ ક્લાસ, 1 ગાર્ડ કોચ અને 01 પાવરકાર કોચ સહિત કુલ 20 કોચ હશે.

અહેવાલ :- ગુજરાત બ્યુરો