ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ કાર્યને કારણે 6 જૂન, 2025 ના રોજ પોરબંદરથી મુઝફ્ફરપુર માટે ચાલતી એક્સપ્રેસ ટ્રેન નંબર 19269 માટે રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભાવોંર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠી જણાવે છે કે, આ દિવસ પર આ ટ્રેનનું નિર્ધારિત રૂટ ફુલેરા-જયપુર-રેવાડી ના બદલે ફુલેરા-રિંગસ-રેવાડી માર દોડાવશે.
ફેરફાર બાદ આ ટ્રેન રિંગસ, માધોપુર, નીમકા થાણા, નારનૌલ અને અટેલી સ્ટેશનો પર રોકાશે. મુસાફરો માટે જરૂરી છે કે તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી યોજે.
ટ્રેનના નવા સમય, સ્ટોપેજ અને અન્ય માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
આ પ્રકારના બ્લોક અને ડાયવર્શન સમયે મુસાફરોના સહકાર અને સમજદારી માટે રેલવે તંત્ર આગ્રહ કરે છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ