78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે વીરપુર ખાતે વહીવટીતંત્ર અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.

જેતપુર

78માં સ્વતંત્ર પર્વ ની ઉજવણીના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન ના ભાગ રૂપે આજ રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને શાળાઓ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં વિવિધ શાળાઓના અંદાજે 2000 જેટલા વિદ્યાર્થીઓ ઉપરાંત 100 જેટલો પોલીસ જવાનો હાથ માં તિરંગો લઈ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યા હતા.તિરંગા યાત્રાને રાજકોટ ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમમા મામલતદાર,પી.એસ.આઈ.સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને દેશના સ્વતંત્ર પર્વની દેશવાસીઓ ઉત્સાહ અને ઉમંગ થી ઉજવણી કરે તેવી અપીલ કરી હતી.

અહેવાલ:- કરણ સોલંકી (જેતપુર)