દ્વારકાધામમાં આજે જ્યેષ્ઠ પૂર્ણિમાના પાવન દિવસે ભગવાન દ્વારકાધીશના ખુલ્લા પડદે સ્નાન દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને ભક્તોએ સ્વર્ગદ્વાર તથા મોક્ષદ્વારથી ભગવાનના દર્શન કરવાના પવિત્ર લાભ લીધા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યેષ્ઠ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ગોમતી નદીમાં ડૂબકી લગાવી ભક્તોએ આત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે સ્વર્ગદ્વાર ખાતે ૫૬ સીડીથી લઈને મુખ્ય દ્વાર સુધી લાંબી લાઈનો જોવા મળી હતી.પોલીસ તંત્ર દ્વારા ભીડ નિયંત્રણ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વૃદ્ધો અને સિનિયર સિટીઝન્સ માટે વિશેષ પ્રવેશ વ્યવસ્થા કરાઈ હતી, જેથી તેઓ પણ સરળતાથી ભગવાનના દર્શન કરી શકે.સ્થાનિક પૂજારી ચેતનભાઈના જણાવ્યા મુજબ, “પ્રતિ વર્ષે જેમ દર્શનાર્થીઓની સંખ્યા વધી રહી છે, તેમ પણ ભક્તિભાવપૂર્વક ભક્તોએ ભગવાનના દર્શન કર્યા છે. ભગવાનના સ્નાન દર્શનનો લાભ લેવા ભક્તો ભક્તિ અને શ્રદ્ધાથી ઊત્સાહિત થયા હતા.”
બાઈટ : ચેતનભાઈ પૂજારી | સંવાદદાતા : ધર્મેન્દ્ર ઉપાધ્યાય દ્વારકા
બાઈટ : ચેતનભાઈ પૂજારી | સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા