કોડીનાર, 3 જૂન 2025 –
કેન્દ્ર સરકારે આ વર્ષે પાંચમી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે, જેમાં થીમ રાખવામાં આવી છે – ‘વિશ્વમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’. આથી પ્રદૂષણને ઘટાડવા અને સ્વચ્છતા જાળવવા માટે સમગ્ર દેશમાં વિવિધ સ્તરે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.
કોડીનાર નગરપાલિકાએ આ મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ માટે ડૉ. આંબેડકર ચોક, નાલંદા સ્કૂલ સામે, બ્રહ્મપુરી વિસ્તારમાં ‘આર.આર.આર. સેન્ટર’ શરૂ કર્યુ છે. આ કેન્દ્રમાં લોકો તેમના પ્લાસ્ટિકના ઉત્પાદનો જમા કરી શકે છે અને પ્લાસ્ટિકની બદલે તેમને પર્યાવરણમિત્ર કાપડની થેલી આપવામાં આવે છે.
આ સિસ્ટમ દ્વારા નાગરિકોમાં પ્લાસ્ટિક વાપરવાનું પ્રત્યેકિત પ્રોત્સાહન મળે અને ‘Reduce, Reuse, Recycle’ ના સૂત્રને પ્રોત્સાહન મળે તે માટે કોડીનાર નગરપાલિકા દ્વારા સક્રિય કાર્યરત છે.
નગરપાલિકા સભ્યો અને ચીફ ઓફિસર દ્વારા પણ લોકોને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા અને પર્યાવરણ સુરક્ષામાં સહયોગ આપવા માટે વ્યાપક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ અભિયાનથી સ્થાનિક સમુદાયમાં જાગૃતિ અને પર્યાવરણની રક્ષા માટે સ્વસ્થ અને ટકાઉ ઉપાયો લાવવાની પ્રેરણા મળશે તેવી આશા છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ