અંબાજી માતાના આરતી-દર્શનના સમયમાં 22 સપ્ટેમ્બરથી ફેરફાર.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ઋતુ પરિવર્તનને કારણે સૂર્યોદય-સૂર્યાસ્તના સમયમાં થતી ઋતુપ્રેરિત બદલાવને ધ્યાનમાં રાખીને સોમવાર, આસો સુદ-૧, તા. 22/09/2025થી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના નવા સમયપત્રક અમલમાં આવશે.

નવી સમયસરણી મુજબ:

  • સવારે આરતી : 07:30 થી 08:00

  • સવારે દર્શન : 08:00 થી 11:30

  • રાજભોગ : બપોરે 12:00

  • બપોરે દર્શન : 12:30 થી 16:15

  • સાંજે આરતી : 18:30 થી 19:00

  • સાંજે દર્શન : 19:00 થી 21:00

ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓને વિનંતી કરવામાં આવી છે કે દર્શન માટે આવતા ભક્તો નવા સમય મુજબ આયોજન કરે.


🪔 નવરાત્રી કાર્યક્રમોની જાહેરાત

અંબાજી મંદિર ટ્રસ્ટે સાથે સાથે આવનારા નવરાત્રી મહોત્સવને લઈને વિશેષ કાર્યક્રમોની વિગતો જાહેર કરી છે:

  1. ઘટ સ્થાપન:

    • તારીખ : 22/09/2025 (સોમવાર, આસો સુદ-1)

    • સમય : સવારે 09:00 થી 10:30

  2. દુર્ગાષ્ટમી:

    • તારીખ : 30/09/2025 (મંગળવાર, આસો સુદ-8)

    • આરતી : સવારે 06:00

  3. ઉત્થાપન:

    • તારીખ : 30/09/2025 (મંગળવાર)

    • સમય : બપોરે 12:00

  4. વિજયાદશમી:

    • તારીખ : 02/10/2025 (ગુરુવાર, આસો સુદ-10)

    • સમય : સાંજે 17:00

  5. દૂધ પૌઆનો ભોગ (પુનમ):

    • તારીખ : 06/10/2025 (સોમવાર)

    • સમય : રાત્રે 12:00 (કપુર આરતી સાથે)

  6. આસો સુદ પુનમ:

    • તારીખ : 07/10/2025 (મંગળવાર, આસો સુદ-15)

    • આરતી : સવારે 06:00

ટ્રસ્ટે જણાવ્યું છે કે 08/10/2025થી મંદિરની આરતી-દર્શનની સમયસરણી ફરી રાબેતા મુજબ રહેશે.


અહેવાલ ઉમેશ ઠાકોર બનાસકાંઠા