અંબુજા ફાઉન્ડેશન દ્વારા વડનગર રામાપીર આશ્રમ ગ્રાઉન્ડ ખાતે કોમ્યુનિટી સેડનું ખાતમુહર્ત

કોડીનાર

અંબુજા ફાઉન્ડેશન દ્વારા તા.૨૨/૧૦/૨૪ ના રોજ વડનગર ગામના રામાપીર આશ્રમ ગ્રાઉન્ડમાં કોમ્યુનિટી સેડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહર્ત ગામના સરપંચશ્રી પુષ્પાબેન ભાણજીભાઇ રાઠોડ ના હસ્તકે કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમમાં અંબુજા ફાઉન્ડેશનના રીઝીયોનલ હેડ શ્રી દલસુખ વઘાસીયા, ગ્રામપંચાયતના સભ્યો અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા,વડનગર ગામની અંદર કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે , પરંતુ ગામની મોટી વસ્તીના લીધે લોકોને સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગો સાચવવા માટે જગ્યા વધારવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ગ્રામ પંચાયત અને ગામના લોકો દ્વારા આ જરીરુયાતને પૂર્ણ કરવા માટે અંબુજા ફાઉન્ડેશનને રજુઆત કરવામાં આવી હતી ત્યાર બાદ અંબુજા ફાઉન્ડેશનએ આ જરૂરીયાતને સમજ્યા બાદ કોમ્યુનિટી સેડના નિર્માણ ની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો. આ કામગીરી નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વડનગર ગામની વસ્તીને ધ્યાનમાં લઈ અને સમુદાયમાં કોમ્યુનિટી સુવિધાઓની જરૂરિયાતને પૂરી પાડવાનો છે. આ કોમ્યુનિટી સેડનો ઉપયોગ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને શિક્ષણાત્મક પ્રવૃત્તિઓ માટે થઈ શકશે.અંબુજા ફાઉન્ડેશન આ કામગીરી સફળ રીતે પૂર્ણ કરીને સ્થાનિક સુવિધાઓના વિકાસમાં યોગદાન આપશે અને લોક સમુદાય ને ઉપયોગી નીવડશે .

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)