અમદાવાદ વિમાન દુર્ઘટનાના શહીદોને માંગરોળમાં શ્રદ્ધાંજલિ.

માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા 200થી વધુ નિર્ધોષ મુસાફરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. તાલુકા વિકાસ અધિકારી અને પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન રાખી પ્રાર્થના કરી. દીવો પ્રગટાવી અને પુષ્પાંજલિ દ્વારા શોક પ્રગટાવ્યો. સમગ્ર પ્રસંગમાં ભાવુક માહોલ સર્જાયો.

અહેવાલ – પ્રકાશ લાલવાણી, માંગરોળ (જુનાગઢ)