આંકોલવાડી કન્યા શાળામાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાયો

જૂનાગઢ – આંકોલવાડી:
मनः प्रशमः योगः। (महाभारत)
અર્થાત્: યોગ એ મનની શાંતિ છે.

આંકોલવાડી ગામની કન્યા શાળામાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી.
શાળાના યોગ કાર્યક્રમનું માર્ગદર્શન શિક્ષક શ્રી નિશાંતભાઈ મહેતા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થી ભોળાબાળાઓને વિવિધ યોગાસનો કરાવ્યા અને યોગથી થતાં શારીરિક તથા માનસિક લાભોની સમજ પણ આપી.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આનંદ અનુભવી યોગ પ્રત્યે રુચિ દાખવી.
વિદ્યાર્થીઓમાં યોગની પ્રેરણા ફેલાવવા તેમજ સ્વસ્થ જીવન માટે યોગના મહત્ત્વને સમજાવવામાં આવ્યુ.

શાળા પરીસર યોગમય બન્યું હતું અને બાળકોના ચહેરા પર આનંદ અને ઉર્જા ઝળકી રહી હતી.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ