ઉના તાલુકાના સનખડા ગામે આરોગ્ય કેન્દ્રનાં તબીબ રજા પર જતા 13 ગામોના દર્દીઓ હેરાન.

સોમનાથ

ઊના તાલુકાના સનખડા ગામ અને આસપાસનાં આશરે 13 જેટલાં અન્ય ગામોનાં લોકોની આરોગ્ય સેવાઓ આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબ લાંબી રજા પર ચાલ્યા જતા છીનવાય.. મુખ્ય તબીબનાં અભાવે ઈમરજન્સી સેવાઓ અને સગર્ભા સ્ત્રીઓને પડી રહી છે અનેક મુશ્કેલીઓ..મુખ્ય ડોકટર રજા પર જતા તેમની જગ્યાએ જિલ્લાકક્ષાએથી કોઈ તબીબ ન મુકાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.. અહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સગવડતા ભર્યું છે.. કોરોના કાળમાં આવેલા સાધનો અને બેડ ધૂળ ખાય રહ્યા છે.. ફોગ મશીન છે તો તેનો કોઈ ઉપયોગ કરવામાં નથી આવ્યું… આરોગ્ય કેન્દ્રમાં બે એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવેલ પણ હાલ આ એમ્બ્યુલન્સ ધૂળ ખાય રહી છે..

ઊનાનાં સનખડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ વર્ગ-2ની કાયમી નિમણુંક થયેલ હોય અને મહિલા તબીબ મિતલબેન વી. ખાંભલા તા. 3-11- 23થી 20- 1- 2024 સુધી લીવ રજા અને ત્યારબાદ 180 દિવસ મેટરનીટી લીવ રજા પર જતાં આ કેન્દ્રમાં અન્ય કોઈ તબીબની વૈકલ્પિક વ્યવસ્થા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નહીં કરાતાં સનખડા કેન્દ્ર ડોક્ટર વિહોણું બન્યું છે.હાલમાં ચોમાસુ શરૂ હોય અને પાણીજન્ય રોગચાળા તેમજ ચાંદીપૂરા વાયરસનાં જોખમ હોય ત્યારે લોકો મુખ્ય તબીબ ના હોવાના લીધે હેરાન થાય છે… સનખડા કેન્દ્ર માત્ર અન્ય સ્ટાફના ભરોસે ચાલતાં ગંભીર બિમારી સમયે લોકોને સારવાર લેવા 15 કિમી દુર ઊના સુધી ધક્કા ખાવાનો વારો આવે છે. આ આરોગ્ય કેન્દ્ર પર માલણ નદી આસપાસ વસતા ખેડૂતો, ગાંગડા માણેકપુર પુર, ખત્રિવાડા, સોદરડી, સોદરવા સહીતનાં 15 ગામોને નજીક પડે છે જેથી અહી સારવાર અર્થે આવતા દર્દીઓને મુખ્ય ડોક્ટર ના હોવાના લીધે ખાનગી ડોક્ટર પાસે કે ઉના સુધી હેરાન થવું પડે છે..આમ અહી આરોગ્ય કેન્દ્ર ઉપર આવતા દર્દીઓને સારવાર વગર પરત ફરવું પડે છે અને ઊના ખાનગી દવાખાનામાં સારવાર લેવાની ફરજ પડી છે જેનાથી ગરીબ પરિવારોને આર્થિક રીતે મોટી મુશ્કેલી પડે છે..

આ બાબતે ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક આરોગ્ય અધિકારી અને તાલુકા પ્રાથમિક આરોગ્ય અધિકારી એ તાત્કાલિક સનખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને ડોક્ટરની નિમણૂક કરવા સમગ્ર ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે..

અહેવાલ- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)