
ઉપલેટા :
ઉત્તરાયણ બાદ વરસી રહેલા અવિરત કમોસમી વરસાદના કારણે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી વિસ્તારના ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેતી માટે અનુકૂળ ગણાતા ઉનાળાના પાક જેમ કે તલ, મગ, અળદ, ડુંગળી અને બાજરીમાં હાલ ભારે નુકસાનની સ્થિતિ સર્જાઈ છે.
વિશેષ વાત એ છે કે મોટી પાનેલી જૂથ વિવિધ સહકારી મંડળીના પ્રમુખ સહિત સ્થાનિક ખેડૂત આગેવાનો દ્વારા કૃષિ મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા તથા ઉપલેટાના મામલતદારને તાત્કાલિક કાર્યવાહી માટે અરજીપત્ર પાઠવવામાં આવ્યો છે.
પત્રમાં એ જણાવ્યું છે કે, “વિસ્તારમાં સતત પડેલા કમોસમી વરસાદના કારણે ઊભા પાકમાં મોટી માત્રામાં નુકસાન થયેલું છે. ખેડૂતો આર્થિક રીતે સંકટમાં મુકાઈ ગયા છે. તેથી તાત્કાલિક સર્વે કરી વળતર સહાય જાહેર કરવી જરૂરી બની છે.“
મોટી પાનેલી સહકારી મંડળી અને અન્ય સંસ્થાઓ દ્વારા થયેલી આ રજૂઆતને ધ્યાને લઈને સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે અને અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય આપે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
હવે જોવાનું એ રહેશે કે પ્રશાસન કેટલાં સમયમાં અસરકારક સર્વે હાથ ધરી ખેડૂતો સુધી સહાય પહોંચાડે છે કે કેમ.