કુંભમાં પાપ ધોવા ગયો અને પોલીસને બાતમી મળી!

સુરત રાંદેરમાં 1995માં થયેલી ચોરીના આરોપી શીવ બહાદુર ઉદયપાલ રાજપૂતને 31 વર્ષ પછી પોલીસ પકડવા સમર્થ બની છે. 31 વર્ષથી ફરાર આ ચોરે ચોરી કર્યા બાદ અલગ-अलग શહેરોમાં રહેવા માટે સતત પોતાનું નામ અને ઓળખ બદલતા જીવી રહ્યો હતો.

1995માં પેટ્રોલ પંપમાં થયેલી ચોરી

સુરતના રાંદેર વિસ્તારમાં મહાવીર પેટ્રોલ પંપમાંથી 1995માં ₹51,000ની ચોરી થઈ હતી. આ ચોરીમાં શીવ બહાદુર ઉદયપાલ રાજપૂત નામના આરોપીનો હાથ હોવાની પોલીસને માહિતી મળી હતી. ચોરી કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને 31 વર્ષ સુધી પોલીસથી બચી રહ્યો હતો.

પોલીસે કુંભમેળા સુધી કર્યા ચક્કર

સુરત રાંદેર પોલીસની ટીમે ગુપ્ત માહિતીના આધારે આરોપી શીવ રાજપૂત કુંભમેળામાં હાજર હોવાની માહિતી મેળવી હતી. આ બાતમીને આધારે પોલીસે કુંભમેળામાં પહોંચી તેની શોધખોળ શરૂ કરી. જોકે, તે ત્યાંથી નીકળી ગયા બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી.

કુંભથી દિલ્હી જતા આરોપી પકડાયો

કુંભમેળાથી આરોપી સીધો દિલ્હી જતો હોવાની માહિતી મળતા જ પોલીસે તરત જ તેની પાછળ તપાસ હાથ ધરી. આખરે કડીથી કડી મળતા પોલીસ દિલ્હી સુધી પહોંચી અને ત્યાંથી આરોપી શીવ બહાદુર રાજપૂતને પકડી પાડ્યો.

31 વર્ષથી બદલતો રહ્યો ઓળખ

આરોપી છેલ્લા 31 વર્ષથી અલગ-અલગ શહેરોમાં પોતાનું નામ અને ઓળખ બદલતો જીવી રહ્યો હતો. તે અલગ અલગ નોકરીઓ કરતો અને સામાન્ય માણસ બનીને રહેતો, જેથી કોઈ તેને ઓળખી ન શકે.

આ કેસમાં પોલીસ માટે તે મહત્વની સિદ્ધિ ગણાય છે, કારણ કે વર્ષો પછી પણ તબીયતપૂર્વક તપાસ ચલાવી આ આરોપીને પકડવામાં સફળતા મેળવી.

📌 અહેવાલ: ગુજરાત બ્યુરો