કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી અમીતભાઈ શાહ સાહેબના 61‘માં જન્મદિવસે શ્રી સોમનાથ મંદિરમાં ધાર્મિક આયોજન

સોમનાથ

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન.ટ્રસ્ટીશ્રી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમીતભાઈ શાહ ના 61‘ માં જન્મદિવસ નિમીત્તે શ્રી સોમનાથ મંદીરમાં આયુષ્ય મંત્ર જાપ, મહાપૂજા સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવેલ. તેમના પ્રતીનીધિ સ્વરૂપે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવશ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ. શ્રી અમીતભાઈ ના નિરામય દિર્ઘાયુષ્ય અને સમગ્રલક્ષી કલ્યાણની પ્રાર્થના સાથે મહાપૂજા માટે પૂજન સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. સાંજે ભગવાન સોમનાથને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવશે. આ પ્રસંગે ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવ પાસે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અમિતભાઈ શાહના નિરામય અને દિર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરવામા આવેલ હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)