કેશોદ જલારામ મંદિર દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો..

કેશોદ:

કેશોદ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તેમજ મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું,

આજરોજ કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં અત્યાર સુધીમાં 315 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 22472 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જેથી લોકો ને લાખો રૂપિયાની રાહત થયેલ છે .

 

જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે

આજરોજ યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા સવજીભાઈ વાલજીભાઈ ગજેરા, કાંતિભાઈ ગજેરા,જલારામ મંદિર નાં ટ્રસ્ટી રમેશભાઈ , દિનેશ કાનાબાર, મહાવીર સિંહ જાડેજા, રફીક મહીડા, ડો પરિતોષ પટેલ ,ભૂપેન્દ્ર જોશી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ, આ નેત્ર નિદાન કેમ્પમાં ,254 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 63 દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા.
તેમજ ડૉ ભૂમિ વણપરિયા એ સાંધાના દુઃખાવા, સાયટિકા વગેરે ની સારવાર નિઃશુલ્ક આપી હતી. ડો નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથીક સારવાર તેમજ ફ્રી દવા આપવામાં આવેલ

અશ્વિન ભાઈ પટેલ , દક્ષાબેન મહેતા, મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા દર્દીઓ નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તેમજ મોવાણા જિલ્લા પંચાયત સંચાલિત હોમિયો પેથી હોસ્પિટલ ના ડો.નિકિતા પટેલ દ્વારા કેમ્પ માં આવનાર દર્દીઓ ને ઉનાળા ની ઋતુ માં કઈ રીતે રહેવું. અને કોઈ પણ તકલીફ હોય તેની સચોટ તપાસ કરી તમામ દર્દીઓ ને નિઃશુલ્ક દવાઓ નું પણ વિતરણ કરવામાં આવેલ હતું,

કેશોદ જલારામ મંદિર ના સાનિધ્ય માં ચાલતું વર્ષો થી અન્નક્ષેત્ર…

કેશોદ જલારામ મંદિર દ્વારા
જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે તેમજ દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે જેમાં 70 થી 80 જરૂરીયાતમંદ લોકો , સાધુસંતો ને નીરાધારો ને ભોજન આપવામાં આવે છે
ડો ભૂપેન્દ્ર જોશી ,ભગવતસિંહ તથા દ્વારા દર્દીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)