કેશોદના સોદરડા ગામે યુવાનને અટકાવી માર મારતાં નોંધાઈ પોલીસ ફરિયાદ.

કેશોદ

કેશોદના સોદરડા ગામે રહેતાં વિકાસભાઈ પ્રફુલભાઈ ચાવડા રાત્રે પોતાનું મોટરસાયકલ લઈને હાઈવે રોડ પર નાસ્તો કરવા જતાં હતાં ત્યારે રસ્તામાં પાનની દુકાને ઉભેલા મનીષભાઈ મહેન્દ્રભાઈ ગોહિલ મનફાવે એવી ભુડી ગાળો આપી મારી ભડવાય શું કામ કરે છે એવું કહી ઉશ્કેરાઈને પાંચ સાત તમાચા મારી ઢીકાપાટુનો માર મારતાં વિકાસભાઈ પ્રફુલભાઈ ચાવડા મોટરસાયકલ પરથી નીચે પડી ગયેલા હતાં.

કેશોદના સોદરડા ગામના પાદરે માથાકુટ થતાં રાડારાડી થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યારે હુમલો કરનાર મનીષભાઈ મહેન્દ્રભાઈ ગોહિલે જતાં જતાં ધમકી આપી હતી કે હવે પછી મારી ભડવાય કરી તો જાનથી મારી નાખીશ ઢીકાપાટુના માર નો ભોગ બનેલા યુવાનને મિત્રો કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યાં હતાં. કેશોદ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ શબ્બીરભાઈ દલ દ્વારા નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૧૫,૨૯૬ બી,૩૫૨-૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી એએસઆઈ
પેથાભાઈ ઘેલાભાઈ કોડીયાતર ચલાવી રહ્યાં છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)