કેશોદ શહેરમાં બે દિવસ પહેલાં પડેલા ભારે વરસાદ પછી જગ્યા જગ્યા પાણી ભરાઈ જતા લોકો અને વેપારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના આગેવાનો શ્રી પ્રવીણ રામ અને રાજુ બોરખતરીયાએ કેશોદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં બેઠક બાદ તેઓ ચાર ચોક ખાતે આવેલા અંડરબ્રિજના નિરીક્ષણે ગયા હતા, જ્યાં હજુ પણ પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. તેમણે ઝલકતા ઠેર ઠેર પાણી જોઈ જણાવ્યું કે સમસ્યાના મૂલમાં તંત્રની નિષ્ક્રિયતા છે.
ત્યારે માંગરોળ રોડ, આંબાવાડી અને રેલવે બ્રિજના સામેથી લઈ વાલ્મિકી સમાજના ઘરોમાં પહોંચી પાણી ઘુસતા થયેલી નુકશાની અંગે તાગ મેળવ્યો અને વેપારીઓની રજૂઆતો સાંભળી.
શ્રી પ્રવીણ રામે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, “લોકોના પ્રશ્નો વિસરી શકાતાં નથી. સમસ્યા કોઈ પણ હોય, આમ આદમી પાર્ટી એ લોકોની સાથે હતી, છે અને રહેશે. દરેક પડકાર સામે અમે મેદાન છોડ્યા વિના લડીશું.”
અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ