કેશોદમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું.

કેશોદ

કેશોદના શરદ ચોક ખાતે આવેલ લેઉવા પટેલ સમાજ ખાતે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પંચમી પુણ્યતિથિ નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પનો શુભારંભ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોડલીયા,પ્રવિણભાઈ ભાલારા,વિવેકભાઈ કોટડીયા,સાગર બોરડ તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો ત્યાર બાદ બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજરોજ બપોરના ૧ વાગ્યા થી ૫ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં કેશોદ ની આવકાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોકટરો દ્વારા સેવા આપવામાં આવી હતી

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)