ખેડબ્રહ્મા ખાતે તિરંગા યાત્રાનું આયોજન થયુ જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ખેડબ્રહ્મા

આગામી ૧૫ ઓગસ્ટના રાટ્રિય કાર્યક્રમ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અન્વયે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવી રહેલ છે જે અન્વયે ખેડબ્રહ્મા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં રાષ્ટ્ર પ્રેમી જનતા તિરંગા યાત્રામાં જોડાઈ હતી. શેઠ કે.ટી હાઈસ્કૂલ ખાતેથી નીકળેલ યાત્રામાં સાંસદ રમીલાબેન બારા સહિતના આગેવાનો, કાર્યકરો, મહાનુભાવો સહિત સ્કુલી બાળકો, પોલીસ સ્ટાફ, ટી. આર.બી. જવાનો અને હોમગાર્ડ જોડાયા હતા.

આ સિવાય ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં આવેલ આંગણવાડીના ભૂલકાઓએ પણ રાષ્ટ્રપ્રેમ બતાવતા તેઓએ પણ પોતાના નાના હાથમાં તિરાંગ લઈ તિરંગા યાત્રા કાઢી રાષ્ટ્રને પોતાનું યોગદાન આપી સહભાગી બન્યા હતા. તિરંગા યાત્રા કે.ટી. હાઇ સ્કૂલથી શીતલ ચોક, સરદાર ચોક, પેટ્રોલ પંપ, લક્ષ્મીપુરા થઈ પરત ફળી હતી.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (ખેડબ્રહ્મા)