ગીર સોમનાથ નિરાધારનો આધાર આશ્રમ ખાતે પણ ગર્વ ગજાનન ભગવાન ગણેશજી ની પૂજા અર્ચના.

ગીર સોમનાથ

સમગ્ર ભારત ગણપતિ દાદા ની પૂજા અર્ચના કરી રહ્યું છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિર થી 10 કિલોમીટર ના અંતરે આવેલ નિરાધાર નો આધાર માનવસેવા આશ્રમ કે જ્યાં 95 જેટલા માનસિક અસ્થિર અને બિનવારસી પ્રભુજી આશ્રય લઈ રહ્યા છે અને તેમની સેવા સાર સંભાળ રાખવા મા આવે છે.

ત્યાં પણ ગણપતિ જી બિરાજમાન હોય અને પૂજા અર્ચના થતી હોય ત્યારે આજરોજ આશ્રમ પર પ્રાચી તીર્થ કે જ્યાં પવિત્ર મોક્ષ પીપળો છે. અને પ્રાચી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગણપતિ જી ની મહા આરતી કરવામાં આવી તેમજ પ્રભુજી ને ભોજન પીરસવામાં મા આવ્યું. હતું. જે તસવીરમાં જણાય છે

અહેવાલ :- દિપક જોષી (ગીર સોમનાથ પ્રાચી)