જુનાગઢ જિલ્લાના માંગરોળમાં કપુર પરિવાર દ્વારા સ્વ.ખુશાલભાઈના ચક્ષુનું દાન કરાયું.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં તા. 12/07/2024 ને શુક્રવાર,અષાઢ સુદ છઠ્ઠના રોજ સ્વ.ખુશાલભાઈ પરશુરામ કપુર, ઉ.વ.63 (રહે.સિરાજ રોડ,તાલુકા શાળા પાછળ) નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ મનોહરભાઈ પરશુરામ કપુર (રજવાડી એમ્પોરીયમ) ઉદયકુમાર પરશુરામ કપુર (પરશુરામ ટ્રેડર્સ) ના મોટા ભાઈ થાયછે તેમજ હિતેશ કપૂર અને જેઠાનંદ કપુરના પિતાશ્રી થાય છે.

આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.ખુશાલભાઈના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી માંગરોળ વિશ્વ હિન્દુપરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી દ્વારા શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણિયાને જાણ કરતા, શીલ P.H.C.સેન્ટરના ગોવિંદભાઈ વાળાએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને કરશનભાઈ વાજા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.
આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સબંધી અને પંકજભાઈ રાજપરા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

કપુર પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.ખુશાલભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)