જુનાગઢ જિલ્લાના માંગરોળ કરાર પા વિસ્તારમાં બેફામ ખાણ ખોદકામથી ખેડુતોને હાલાકી.

જુનાગઢ

માંગરોળ શહેરમાં કરાર પા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં ચાલતી ખાણ ના લીધે આસપાસના લોકોને મુશ્કેલી પડી રહીછે, ખાણ ખનીજ ખોદકામ ના કારણે ખેડુતોના અવરજવર માટે એકમાત્ર કાચા રસ્તાનો કેટલો ભાગ ખાણમાં ઘસી ગયો છે જેથી ખેડુતોને નિકળવું મુશ્કેલ બન્યું છે, સાથે સાથે પીજીવીસીએલ ના 11 કે.વી ના બે પોલ ધરાશય થતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.

ખાણ નજીક અવરજવરનો રસ્તો ઘસી પડ્યો તો બે વીજ પોલ પણ તુટી જતા ખેડુતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ..

આ બાબતે આસપાસના ખેડુતોએ મામલતદાર ને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી અને લોકોના પડતી મુશ્કેલીઓ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)