જુનાગઢ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડીના નાના ભૂલકાઓ એ ભારત માતાના વીરજવાનો -શહીદો, ક્રાંતિકારીઓની યાદમાં વેશભૂષા દ્વારા તેમની વીરતાને યાદ કરી.

જૂનાગઢ

જૂનાગઢ ખાતે “રાષ્ટ્રના ૭૮ માં સ્વાતંત્ર દિનની” ઉજવણી નિમિત્તે આજરોજ બહાઉદીન કોલેજ થી સરદાર પટેલ ભવન – કૃષિ યુનિવર્સિટી જુનાગઢ સુધી ની “ત્રિરંગા યાત્રા” નિકળી હતી તેમાં મહાનગર પાલિકા ના આઇ.સી.ડી.એસ. શાખાના આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા ભારત માતાના વીર જવાનો -શહીદો, ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે વેશભૂષા કરી તેમની વીરતાને યાદ કરી હતી.

આ બાળકોને પ્રોત્સાહન આપવા માટે માન. મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કલેકટરશ્રી, કમિશનરશ્રી, અધિક કલેકટર શ્રી,ડેપ્યુટી કમિશનરશ્રી ,પ્રાંત અધિકારીશ્રી તેમજ અન્ય પદાધિકારીશ્રીઓના અને અધિકારીશ્રીઓના વરદ હસ્તે બાળકોને પ્રમાણપત્ર આપી ખૂબ જ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)