જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૩ જુલાઇએ યોજાશે ભરતી મેળો.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓ માટે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.ખાનગી ક્ષેત્રના એકમ માર્શલ ટ્રેડિંગ કંપની, મંજલ એન્ટરપ્રાઇઝ, ભારતીય જીવન વિમા નિગમ તથા શ્રી કેશવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિ. એકમમાં સેલ્સ એક્ઝ્યુકેટિવ, ટેલિકોલર, મિકેનીક હેલ્પર, ફાઇનાન્સિયલ-ઇન્સ્યુરન્સ એડવાઇઝર ક્લર્ક તથા સહાયકની જગ્યાઓ માટે ૨૧ થી ૩૫ વર્ષની વયમર્યાદા, ખાલી જગ્યાને અનુરુપ એચ.એસ.સી, સ્નાતક, ડિપ્લોમા કે આઇ.ટી.આઇ.ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે તા.૨૩ જુલાઇ, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જૂનાગઢના બિલખા રોડ સ્થિત કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે યોજાશે.

ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારોએ, શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરુરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત રહેવું. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ટેલિફોન નંબર (૦૨૮૫) ૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)