જૂનાગઢ:
વર્ષ ૨૦૨૫-૨૬ના ચોમાસા દરમિયાન કુદરતી આફતોના સમયે પશુઓના આરોગ્યની સંભાળ માટે જૂનાગઢ જિલ્લા પશુપાલન ખાતા દ્વારા વિશિષ્ટ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૪૨૦૦૦ જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
📌 મહત્વના મુદ્દા:
અફાટ વરસાદ, વાવાઝોડા, પુર જેવી આપત્તિઓને દૃષ્ટિએ આગોતરું આયોજન.
જિલ્લામાં ૧૮ ટીમો અને ૭૬ જેટલા કર્મચારીઓ કાર્યરત રહેશે.
પ્રતિબંધિત વિસ્તારમાં રસીકરણ, રોગ નિયંત્રણ માટે પૂરતી દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
મૃત પશુઓના વૈજ્ઞાનિક નિકાલ માટે તંત્ર અને પંચાયતો સાથે સંકલન.
✔️ મહત્વપૂર્ણ વ્યવસ્થા:
દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરાશે.
તમામ ટેલિફોન અને ઈમેઈલ સેવા ૨૪x૭ ચાલુ રહેશે.
રસી અને દવાઓનો પૂરતો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે.
કુદરતી આપત્તિના સમયે તાત્કાલિક રોગ નિદાન માટે પશુરોગ સંશોધન એકમની મદદ લેવામાં આવશે.
📣 જનજાગૃતિ અને સલાહ:
વરસાદી દિવસોમાં પશુઓને ખુલ્લા ન બાંધવા, સલામત સ્થળે ખસેડવાની સલાહ.
સ્થાનિક પશુ દવાખાનાઓનો સંપર્ક કરવો.
સેવાભાવી સંસ્થાઓ, જીવદયા પ્રેમીઓ, અને સ્વયંસેવકો સાથે સમન્વય રાખી કાર્ય કરાશે.
👉 કોને સંપર્ક કરવો?
વધુ માહિતી માટે જિલ્લાની નજીકની પશુ દવાખાનાઓ અથવા પશુપાલન કચેરીનો સંપર્ક કરવો.
📝 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ