જૂનાગઢ મહાનગર સેવા સદન કચેરી ખાતે માંન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ ના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

જૂનાગઢ મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા ૭૮માં સ્વાતંત્ર્ય દિવસ નિમિતે તા:૧૫/૦૮/૨૦૨૪ ગુરુવારના રોજ સમય ૦૮:૩૦ કલાકે મહાનગર પાલિકાકચેરી, આઝાદ ચોક ખાતે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના વરદ હસ્તે ધ્વજ વંદન તેમજ સફાઈ કર્મચારીશ્રીઓની શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.

૭૮માં સ્વાતંત્ર્ય દિન નિમિતે માન.કમિશનરશ્રી દ્વારા સૌ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ તકે નાયબ કમિશનરશ્રી એ.એસ. ઝાંપડા, આસિ.કમિશનર(વ) શ્રી જયેશ પી.વાજા, આસિ.કમિશનર શ્રી (ટે) કલ્પેશ જી ટોલિયા, તમામ શાખાધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ,પોલીસ જવાનો, ફાયરસ્ટાફ,જુનાગઢ શહેરના આગેવાન શ્રીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)