જૂનાગઢ મહાનગરપાલિકા ધ્વારા શહેરના વોર્ડ નં. ૧,૨,૩,૮,૯,૧૦ અને ૧૫માં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન.

જૂનાગઢ

રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેક વિવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વેના પ્રજાજનોના પ્રશ્નોનું ન્યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા, જુનાગઢના સંયુકત ઉપક્રમે તા.૨૦/૦૯/ર૦૨૪ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી સ્થળ: આંબેડકર ભવન,સક્કરિયો ટીંબો,અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં,દુબળી પ્લોટ પાસે,જુનાગઢ ખાતે શહેર નાં વોર્ડ નં. ૧,૨,૩,૮,૯,૧૦ અને ૧૫ની જાહેર જનતા માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

રાજય સરકાર ધ્વારા વહીવટી તંત્રને પારદર્શક,સંવેદનશીલ અને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારની વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર ધ્વારા અનેક યોજનાઓ, સહાયો,જાહેર સેવાઓ આધાર કાર્ડ નોંધણી,મા અમૃતમકાર્ડ નોંધણી, સખીમંડળ,જનધન યોજના,મામલતદાર કચેરી ધ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવક ના દાખલા,જાતીના દાખલા, ઉજજવલા યોજના,જુદી-જુદી બેંકો ધ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ,સ્વરોજગાર યોજના એસ.ટી વિભાગ ધ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રીઝર્વેશન તેમજ ફરીયાદને લગતી સેવાઓના સ્ટોલ કાર્યરત કરવામાં આવશે અને વ્યક્તિ લક્ષી રજૂઆત પણ ધ્યાને લઈ તેનો સ્થળ ઉપર જ પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે તેમજ વિવિધ સહાય મેળવવા ઈચ્છતા લોકોએ પોતાના આધાર પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે.આ કાર્યક્રમ તા.૨૦/૦૯/ર૦૨૪ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી સ્થળ: આંબેડકર ભવન,સક્કરિયો ટીંબો,અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં, દુબળી પ્લોટ પાસે, જુનાગઢ ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં વોર્ડ નં. ૧,૨,૩,૮,૯,૧૦ અને ૧૫ની રજૂઆત ધ્યાને લેવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)