જૂનાગઢ શહેરમાં ભરડાવાવથી ભવનાથ સુધીના મુખ્ય માર્ગનું મેટલિંગ દ્વારા પેચવર્ક.

જૂનાગઢ

જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ભારે વરસાદથી બિસ્માર બનેલા માર્ગોનું પુરજોશમાં મરામત કાર્ય કરવામાં આવી રહ્યું છે, આજે ભરડાવાવ થી ભવનાથ સુધીના મુખ્ય માર્ગનું મેટલિંગ દ્વારા પેચ વર્ક કરવામાં આવ્યું છે.

ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓથી લોકોને રાહત મળી રહે તે માટે વરસાદના વિરામ સાથે જ શહેરના જુદા જુદા રસ્તાઓનું મરામત કામગીરી કરવામાં આવી રહી છે. જેસીબી અને રોલિંગ મશીન દ્વારા રસ્તાઓને સમથળ કરવામાં પણ આવી રહ્યા છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)