જૂનાગઢના મોટા ગુંદાળા ગામે પશુ આરોગ્ય અને સારવાર શિબિરનું સફળ આયોજન!!

📍 જૂનાગઢ, ૦૬ માર્ચ

પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડ અને પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા મોટા ગુંદાળા ગામે પશુ આરોગ્ય અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

📌 શિબિરની મુખ્ય હાઇલાઇટ્સ:
કુલ ૨૬૬ પશુઓને નિદાન અને સારવાર આપવામાં આવી.
૨૫૧ પશુઓને કૃમિનાશક દવા અપાઈ.
૧પ પશુઓની વિશિષ્ટ તપાસ અને સારવાર નિષ્ણાતો દ્વારા કરવામાં આવી.

🩺 વિશિષ્ટ નિષ્ણાતોની ટીમ:
🔹 ડૉ. સુરેશકુમાર માવડીયા (મેડિસિન)
🔹 ડૉ. જીગ્નેશ વડાલીયા (સર્જરી)
🔹 ડૉ. દેવાશીભાઈ બોરખતરિયા (ગાયનેકોલોજી)

🎤 શિબિરના સફળ આયોજન માટે નિમ્ન વ્યકિતઓએ વિશેષ યોગદાન આપ્યું:
મોટા ગુંદાળા ગામના સરપંચ: ગોપાલભાઈ હીરપરા
પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડના નોડલ અધિકારી: ડૉ. સુરેન્દ્ર સાવરકર
પશુચિકિત્સા મહાવિદ્યાલય, જૂનાગઢના આચાર્ય: ડૉ. પી.એચ. ટાંક
સહ પ્રાધ્યાપક: ડૉ. દિનદયાલ
પશુધન નિરીક્ષક: અંકુર દેસાઈ

📢 આ કાર્યક્ર્મ દ્વારા પશુપાલકોમાં આરોગ્ય જાગૃતિ અને પશુઓની વધુ સારી સંભાળ માટે ઉત્તમ પ્રેરણા મળી.

🎤 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ