જૂનાગઢના ડૉ. સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ ખાતે 21મી જૂન, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવો અને આધુનિક જીવનશૈલીમાં યોગના મહત્વને ઉજાગર કરવાનો રહ્યો હતો.
કોલેજના આચાર્ય ડૉ. બલરામ ચાવડાએ કાર્યક્રમની અધ્યક્ષતા કરતા કહ્યું કે યોગ એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી સાધન છે. આ પ્રાચીન ભારતીય પરંપરાએ આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી છે અને આપણું કારણ ગૌરવરૂપ છે કે આખું વિશ્વ હવે યોગને અપનાવતું બન્યું છે.
યોગશિબિરમાં ડૉ. હીરાબેન રાજ્વાણીએ યોગના ઇતિહાસ અને આજના સમયમાં તેની ઉપયોગિતા અંગે જ્ઞાનવર્ધક પ્રવચન આપ્યું અને વિવિધ યોગાસનોનું પ્રદર્શન કરીને હાજર વિદ્યાર્થીનીઓને યોગ સાથે સાક્ષાત્કાર કરાવ્યો.
આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા અને મિતાબેન ચાવડાએ યોગ દિવસના આયોજન માટે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. વજશી ગોજીયાએ કર્યું હતું.
વિદ્યાર્થીની બહેનો દ્વારા યોગ શિબિર પ્રત્યે ઉત્સાહજનક સહભાગીતા દર્શાવવામાં આવી અને સમગ્ર કાર્યક્રમ ઉજ્જવળ અને સાથીભાવથી સંપન્ન થયો.
📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ