જૂનાગઢમાં સેવાના ભેખધારીશ્રી દામજીભાઈ પરમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

જૂનાગઢ

અનેક સેવા કાર્ય પ્રવૃત્તિઓમાં સતત પોતાની સેવા તથા દાન આપનાર શ્રી દામજીભાઈ બેચરભાઈ પરમારનું તાજેતરમાં નિધન થતાં તેમના સાથીઓમા શોકની લાગણી પ્રસરી ગઈ, સ્વ.શ્રી દામજીભાઈ પરમાર દ્વારા 10 જેટલી જુદી જુદી સંસ્થામાં ઉપયોગી થયા જેમાં નાના નાના બાળકોને ઠંડું અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે વોટર કૂલર, મારી પ્રાથમિક શાળા, કન્યા શાળા, ઝાંઝરડા પ્રાથમિક શાળા, કાળવા ચોકમાં પાણીના પરબ, મયારામદાસજી આશ્રમ, સીમશાળા, સત્યમ સેવા યુવક મંડળ દ્વારા હોસ્પિટલમાં ચાલતી સેવાઓમાં દામજીભાઈ તરફથી ચા, પાણી, નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવતી હતી, તેમજ જૂનાગઢની વિવિધ સંસ્થા માં પણ તેમનું યોગદાન હતું.

સદગતના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એવી સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવેલ હતી જેમાં અંધ કન્યા છાત્રાલય, સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી શક્તિપીઠ, મયારામદાસજી આશ્રમ, દિવ્યાંગ સંસ્થા, અપના ઘર, વૃદ્ધ નિકેતન, અંધજન મંડળ વગેરે સંસ્થાના અગ્રણીઓ શ્રી મનસુખભાઈ વાજા, નાગભાઈ વાળા, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, મુકેશગીરી મેઘનાથી, અલ્પેશભાઈ પરમાર, શાંતાબેન બેસ, હસમુખભાઈ ત્રિવેદી, ચંપકભાઈ જેઠવા, પ્રવીણભાઈ જોશી, કેતનભાઇ નાંઢા, મનોજભાઈ સાવલિયા વગેરે એ શ્રદ્ધાંજલિ અર્પી દામજીભાઈના દિવ્ય આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)