જૂનાગઢમાં સ્વચ્છતા હિ સેવા -૨૦૨૪” અંર્તગત લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

“સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪” અંતર્ગત મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા તા.૧૭/૯/૨૦૨૪ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે શહેરીજનો તથા સફાઈ કર્મચારીશ્રીઓના મનોરંજન માટે લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે માન.ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા,નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા, સ્ટોરકીપરશ્રી રાજુભાઈ મહેતા સફાઈ કામદાર પ્રમુખશ્રી વિજયભાઈ વાળા,વાલ્મીકી સમાજ પ્રમુખશ્રી દિનેશભાઈ ચુડાસમા, સેનીટેશન સુપરવાઈઝરશ્રી મનીષભાઈ દોશી, વાલ્મીકી સમાજ આગેવાનશ્રી ચીમનભાઈ ડી પરમાર,શહેરના તમામ વોર્ડના એસ.આઈ.શ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીશ્રીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)