જેતપુરમાં ABVP દ્વારા GCAS પોર્ટલની ખામીઓ મામલતદારને આવેદનપત્ર અપાઈ વિરોધ નોંધાવ્યો

જેતપુર ખાતે ABVP દ્વારા GCAS પોર્ટલમાં ચાલી રહેલી ખામીઓ સામે તીવ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ABVPના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપી GCAS પોર્ટલમાં પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ બનાવવા, વિદ્યાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવા સહિતની મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી હતી.

વિદ્યાર્થીઓ GCAS પોર્ટલના ટેક્નિકલ ખામીઓ અને કાર્યપદ્ધતિથી પરેશાન થયેલા હોવાનું ABVPનું કહેવું છે. પોર્ટલના કારણે ઘણી વખત વિદ્યાર્થીઓને તેમની પસંદગીની કોલેજ નહીં મળે, તેમજ સમયસર અરજીની પ્રક્રિયા પણ દકદકીભરી બની જાય છે.

આવેદનપત્ર આપ્યા બાદ ABVPના કાર્યકરોએ GCAS પોર્ટલના કાગળોનું પ્રતિકાત્મક દહન કરીને સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.


ABVP રાજકોટ જિલ્લાના સંઘટન મંત્રી દર્શન ભુવાએ જણાવ્યું કે –
“GCAS પોર્ટલમાં મૌલિક તકોની ખામી છે. વિદ્યાર્થીઓના હિત માટે તંત્રએ તાત્કાલિક સુધારા કરવા જોઈએ. નહિ તો ABVP વધુ વ્યાપક આંદોલન કરશે.”