ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી.

ઝઘડિયા

રાજ્યભરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા તાલુકા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે ઝઘડિયા તાલુકામાં પણ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ની નિયુક્તિ કરવામાં આવી છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની મંજૂરીથી અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના વતની અને પીઢ કોંગ્રેસી કાર્યકર એવા મુકેશભાઈ કરસનભાઈ વસાવાની નિયુક્તિ કરવામાં આવી છે, કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા એ આશા વ્યક્ત કરી છે કે જિલ્લા કોંગ્રેસ સંગઠનના કાર્યમાં સક્રિય રીતે કાર્યદક્ષ બની રહેશો તથા આજે આપણો દેશ બિન લોકશાહી પરિબળોનો મક્કમતાથી અને લોકશાહી માર્ગે સામનો કરી રહ્યા છે, ત્યારે એકમાત્ર કોંગ્રેસ પક્ષની એકતા ભાવના અને એના ઐતિહાસિક આદર્શોને એક રાષ્ટ્રીય ધર્મ તરીકે સુદ્વઢ બનાવવાના ભગીરથ કાર્યમાં આપ જોતરાઈ જશો તેવી આશા વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા, મુકેશભાઈ વસાવાની ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી તથા સૌ કોંગ્રેસી નાના-મોટા કાર્યકરોએ તેમની નિમણૂક ને વધાવી લીધી હતી.

અહેવાલ :-.નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)