ડભોઇ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા -2024” અંતર્ગત ડભોઇ નગરમા સ્વચ્છતા અંગેની જાગૃતિ અર્થે શેરી નાટક યોજાયા.

વડોદરા

ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરની મળેલ સૂચના અનુસાર માનનીય વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ 17 સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ દિન સુધી સમગ્ર ગુજરાતમા સ્વચ્છતા માટેના “સ્વચ્છતા હી સેવા”જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ડભોઇ નગરપાલિકા દ્વારા રોજેરોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આજે ડભોઇ નગરપાલિકા દ્વારા નગરના ટાવર ચોક, કુમારશાળા, મહેદેવીયા હાઈસ્કૂલ, એસ.ટી. ડેપો તેમજ નગરના જાહેર સ્થળો પર લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા શ્રી જનકભાઈ પંડ્યા તેમજ શ્રી આશિષભાઈ દવેની ટીમ દ્વારા સ્વચ્છતા ના સંદેશ સાથેના શેરી નાટકોનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, મેનજર શ્રી મહેશભાઈ પરમાર, ભાવેશભાઈ રાણા તેમજ ડભોઇના નગરજનો તથા શાળાના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. નાટકની સાથે સ્વચ્છતા જાગૃતિ અંગે સુત્રોચાર તેમજ શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતો. અને નગરજનોને સ્વચ્છતા એ પોતાની જવાબદારી છે એ મુજબ જાગૃત કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ, માહોલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં કચરો કચરાપેટી જ નાખવા અને નગરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડભોઇ, સ્વસ્થ ડભોઇ બનાવવા હાંકલ કરવામાં આવી હતી.

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)