ડૉ.સુભાષ મહિલા કોલેજ, જૂનાગઢમાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરાયું.

જૂનાગઢ

ભવિષ્યમાં થનાર બાળક થેલેસેમિયા-મેજર ગ્રસ્ત ન થાય તે માટે અપરણિતો એ થેલેસેમીયા ટેસ્ટ કરાવવો ખાસ જરૂરી છે અને જો ટેસ્ટ માં થેલેસેમીયા-માયનોર રીઝલ્ટ આવે તો તેમણે તેમના સગપણ સમયે સામા પક્ષના થેલેસેમીયા ટેસ્ટ નો આગ્રહ રાખવો જોઈએ કારણ કે જ્યારે અજાણતાં થી બે થેલેસેમીયા-માયનોર વાહકો લગ્નગ્રંથી થી જોડાય જાય છે ત્યારે તેમને ત્યાં થેલેસેમીયા- મેજર વાહક બાળક અવતરવાની શક્યતા રહે છે, અને તે બાળકને દર પંદર થી વીસ દિવસ એ લોહી ચડાવવું પડે છે તેમનુ આયુષ્ય પણ અલ્પ હોય છે જેના લીઘે પરિવાર પર પારાવાર આર્થીક, માનસીક અને શારીરિક શ્રમની પીડા થાય છે પરંતુ તેનાથી ચોક્કસ બચી શકાય છે. તે માટે કુંડળી કરતાં થેલેસેમીયા-માયનોર ના રીપોર્ટ મેળવવામાં આવે તો થેલેસેમીયા-મેજર ગ્રસ્ત બાળક અવતરે નહીં.થેલેસેમીયા-માયનોર એ કોઈ રોગ નથી, તેનો દાખલો પ્રસિદ્ધ ફીલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન છે તે થેલેસેમીયા-માયનોર વાહક છે પરંતુ જ્યાં બચ્ચન નોર્મલ છે આથી તેમના સંતાનો નોર્મલ છે.

કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી બહેનો આ બાબતથી વાકેફ થાય અને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થાય તેવા હેતુથી ડૉ.સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજમાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનુ આયોજન તા. ૦૧-૦૮-૨૦૨૪ને ગુરૂવારે કરવામાં આવ્યું હતું. જેમા એન.એસ.એસ. ના પ્રો.ઓફિસર ડૉ.બિપિન પટેલ અને ડૉ.કોકિલાબેન પરમાર દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યું હતું કે જેમને થેલેસેમીયા-માઈનર હોય તેમણે આવનાર જીવનસાથીનો ટેસ્ટ કરાવી નોર્મલ હોય તો તેમની સાથે જ લગ્નગ્રંથીથી જોડાવુ જોઈએ. જો થેલેસેમીયા ટેસ્ટ કરાવેલ હશે તો થેલેસેમીયા-મેજર ગ્રસ્ત બાળક આવતું અટકાવી શકાય છે. આમ તો આ ટેસ્ટ ખાનગી લેબમા કરાવીએ તો 500 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. પરંતુ શિવમ લેબોરેટરીના પ્રજ્ઞેશભાઈ મહેતા ની ટીમ દ્વારા રાહત દરે થેલેસેમીયા ટેસ્ટ અને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.. જેમાં કૉલેજના 350 જેટલા વિધાર્થી બહેનોએ ઉત્સાહભેર ટેસ્ટ કરાવી ભાગ લીઘો હતો.

આ પ્રસંગે સંસ્થાના આચાર્ય બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે થેલેસેમિયાનું દર 100 લોકોમાં સ્ક્રીનીંગ કરવામાં આવે ત્યારે ઓછામાં ઓછા ત્રણથી ચાર લોકોને લક્ષણ જોવા મળી શકે છે. તેથી તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને અપરણિત, કૉલેજના વિદ્યાર્થીઓ એ અચૂક તપાસ કરાવવી જોઈએ. થેલેસેમીયા મેજર ગ્રસ્ત બાળકના જન્મને રોકવા માટે સમાજમાં થેલેસેમિયા પરીક્ષણ દ્વારા જાગૃતિ લાવવી ખુબ જરૂરી છે, આ માટે જૂનાગઢમાં માતુશ્રી મણીબેન લાભશંકર દવે નૂતન અભિગમ ટ્રસ્ટ દ્વારા અગાઉ સુંદર કામગીરી કરવામાં આવેલ હતી. અને રાજ્ય સરકારે તેની સાદર નોંધ લઈ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી શશીકાંતભાઈ દવે ને એવોર્ડ થી નવાજયા હતાં.થેલેસેમિયા ટેસ્ટ કેમ્પને સફળ બનવવામાં પ્રો.વી.ડી.ગોજીયા, ચેતનાબેન ચુડાસમા, રિદ્ધિ ડોડીયા ,દિવ્યેશ ઢોલા,નયનાબેન ગજ્જર,મહેશ કિકાણી એ જહેમત ઉઠાવી હતી.આ કેમ્પના આયોજન બદલ સંસ્થા પ્રમુખશ્રી જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનદન આપ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)