પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના નાસતા આરોપીઓને એસ.ઓ.જી.એ પકડી પાડ્યા – ઘોઘારોડ પોલીસને સોપ્યા.

ભાવનગર એસ.ઓ.જી. ટીમે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપીને કાયદેસર કાર્યવાહી માટે ઘોઘારોડ પોલીસના હવાલે કર્યા છે.

આ કાર્યવાહી ભાવનગર રેન્જના આઈ.જી.પી. ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી. તેમણે નાસતા ફરતા આરોપીઓની ધરપકડ માટે પોલીસ તંત્રને ખાસ સૂચનાઓ આપી હતી.

ઘટનાની વિગત:
એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. ડી.યુ. સુનેસરા અને પો.ઇન્સ. જે.ડી. બારોટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન એલર્ટ મળતાં ટીમે ઘોઘા સર્કલ પાસે બી.એમ. કોમર્સ સ્કૂલ નજીકથી આરોપીઓ કાદીર હુસેન ઉર્ફે ભગવાન સમા (ઉ.વ. 20) અને જાહીદ ઉર્ફે સાહીદ તરકવાડીયા (ઉ.વ. 24)ને ઝડપી લીધા.

આ બંને આરોપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 11198006250595/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2), 54 તેમજ પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવાનો કાયદો હેઠળ વોન્ટેડ હતાં.

કાર્યરત ટીમ:
આ કાર્યવાહી ASI ગુલમહંમદ કોઠારીયા, પો.કોન્સ. ધર્મદીપસિંહ જાડેજા, મિતેષ જોષી, વિઠ્ઠલ ચૌહાણ, હરપાલસિંહ ગોહિલ, પાર્થ પટેલ, મિનાજ ગોરી, કાનજી નકુમ અને મહિલા પો.કોન્સ. નિલમબેન વિરડીયાની ટીમે સફળતાપૂર્વક અંજામ આપી.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર