ભેંસાણ: પ્રથમ ભેંસાણ ખાતે આવ્યાં બાદ શ્રદ્ધા પૂર્વક પરબધામના દર્શન કરી મહંત કરસનદાસ બાપુના આશીર્વાદ લીધાં. બાપુએ આશીર્વાદ આપતા ભવિષ્યમાં સફળતા અને સંઘર્ષમાં Vijay મેળવવા માટે શક્તિ મળવાની શુભકામનાઓ પાઠવી હતી.
મહંતના આશીર્વાદ પછી ભેંસાણ ગામમાં વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં ગામજનોએ જોડાઈ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
વધુમાં, ભેંસાણના પટેલ સમાજ ખાતે પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર પહેરાવી, ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધાં હતાં.
આ પ્રસંગે “જય સરદાર” ના ઉલ્લાસભેર નારા લગાવવામાં આવ્યા હતા અને સરદાર પટેલના સંદેશને સમર્પિત ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો અને અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ : – કાસમ હોથી , ભેસાણ