બીએપીએસ સંસ્થા ના વડા પૂ.મહંતસ્વામી જૂનાગઢમાં પધારશે.

જૂનાગઢ

BAPS અક્ષર મંદિર સંસ્થા ના વડા પૂજ્ય મહંત સ્વામીશ્રી ૧લી ઓક્ટોબર નાં રોજ જૂનાગઢના આંગણે પધારી રહ્યા છે અને તેર ઓક્ટોબર સુધી જૂનાગઢમાં અક્ષર મંદિર, વંથલી રોડ, જૂનાગઢ ખાતે સૌ ભક્તજનો, હરીભક્તો ને દર્શનનો લાભ મળશે તે જાણી બીએપીએસ ના અનુયાયીઓ તથા હરીભક્તો માં ખુશી ની લહેર વ્યાપી ગઈ છે, અક્ષર મંદિર ને સજાવવામાં સાધુ સંતો, સેવકો, હરીભક્તો કામે લાગી ગયા ના સમાચાર પ્રાપ્ત થયાં છે, આ તેર દિવસ માં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તેમા સૌને પધારવા અને દર્શનનો લાભ લેવા સંસ્થાના કોઠારી સ્વામીશ્રી ધર્મ વિનયદાસજી સ્વામી એ નિમંત્રણ પાઠવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)