ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આરોગ્ય ચિકિત્સા શિબીર યોજાયું – ૫૦૦થી વધુ લોકોના આરોગ્યનું નિરીક્ષણ!!

👉 જુનાગઢ, તા. ૧૨:
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે વુમન ડેવલોપમેન્ટ સેલ અને એસ.સી./એસ.ટી. સેલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

➡️ કેમ્પના મુખ્ય ઉદ્દેશો:
✅ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે આરોગ્ય ચકાસણી
Vitamin B12 અને TSH (Thyroid Stimulating Hormone) સહિતના લેબોરેટરી પરીક્ષણો
✅ આરોગ્યલક્ષી જાગૃતતા અને નિદાન માટે કેમ્પનું આયોજન

➡️ ઉપસ્થિત તજજ્ઞ અને આરોગ્ય નિષ્ણાતો:
👨‍⚕️ ડૉ. હિરેન હડિયા – જનરલ ફિઝિશિયન
👨‍⚕️ ડૉ. મુકતાર અહમદ મસ્તકી – ઈ.એન.ટી.
👨‍⚕️ ડૉ. જીગ્નેશ રામાણી – જનરલ સર્જન
👩‍⚕️ ડૉ. નેહલ મોરી – ગાયનેકોલોજીસ્ટ
👩‍⚕️ ડૉ. દેવાંશી ભટ્ટ – ડર્મેટોલોજીસ્ટ
👨‍⚕️ ડૉ. શુભમ રાઠોડ – ઓર્થોપેડિક સર્જન
👩‍⚕️ ડૉ. જલ્પા સુથાર – ઓપ્થેમોલોજિસ્ટ
🩺 ધ્રુવ મહેતા – લેબ ટેક્નિશિયન
📟 રાજેશ ઝાલા – ઈ.સી.જી. ટેક્નિશિયન
💉 દિલીપ ચાવડા અને દિવ્યા વાઘેલા – નર્સિંગ સ્ટાફ

➡️ કેમ્પના મુખ્ય તબિબો અને અધિકારીઓ:
🌸 કુલપતિ ડૉ. અતુલભાઈ બાપોદરા

  • તબીબોને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું
  • આરોગ્યલક્ષી જાગૃતિ માટે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંબોધન આપ્યું

🌼 રજીસ્ટ્રાર ડૉ. મયંક સોની

  • તંદુરસ્ત જીવન જીવવા માટે સકારાત્મક ઉદાહરણો આપ્યા
  • વ્યસનમુક્ત જીવન અને યોગ યુક્ત જીવનશૈલી તરફ પ્રેરણા આપી

➡️ કેમ્પની ખાસિયતો:
🔹 તબીબો અને આરોગ્ય નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ અને સ્ટાફના બ્લડપ્રેશર, રક્ત પરિક્ષણ, Vitamin B12, અને થાઇરોઇડ સંબંધિત પરીક્ષણો કર્યા
🔹 કેમ્પમાં અંબ્યુલન્સ સેવા, પ્રાથમિક સારવાર અને મફત દવાઓ ઉપલબ્ધ કરાઈ
🔹 સિવિલ હોસ્પિટલના તજજ્ઞો દ્વારા આરોગ્ય સંબંધી નિદાન અને સારવાર

➡️ વિશેષ:
🎯 કેમ્પમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ આરોગ્ય ચકાસણી કરાવી
🎯 કેમ્પના સફળ આયોજન માટે વુમન ડેવલોપમેન્ટ સેલની અનિતાબા ગોહિલ, એસ.સી./એસ.ટી. સેલના રશ્મિબેન પટેલ અને વિભિન્ન વિભાગના અધ્યક્ષોએ જહેમત ઉઠાવી

✅ આરોગ્યલક્ષી જાગૃતિ અને નિદાન માટે કેમ્પ ખૂબ જ સફળ સાબિત થયો

📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ