ભવનાથમાં શ્રી અવધુત આશ્રમ ખાતે શ્રી બાલકૃષ્ણગિરી બાપુની ૨૭મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવાશે.

જૂનાગઢ

ભવનાથમાં આવેલ શ્રી અવધૂત આશ્રમ, જુનાગઢના મહંતશ્રી મહાદેવગિરી બાપુ ગુરુશ્રી સરસ્વતિ માતાજી એ એક યાદીમાં જણાવેલ છે કે, પરમ પૂજય પ્રાતઃ સ્મરણીય તપસ્વી એકાંત પ્રિય સિધ્ધયોગી ગુરુદેવ શ્રી બાલકૃષ્ણગિરી બાપુની ૨૭મી પુણ્યતિથિ તા.૧૩-૦૮-૨૦૨૪, શ્રાવણ સુદ-૮ને મંગળવાર ના રોજ ધામધૂમથી ઉજવવામા આવશે જેમાં સમાઘી પૂજન સવારે ૦૯:૦૦ કલાકે, પછી સંતવાણી બાદ સંત ભોજન, મહાપ્રસાદ બપોરે ૧૧:૦૦ કલાકે રાખવામાં આવેલ છે તો આ કાર્યક્રમમાં સર્વે ભાવિકો, ભક્તજનો, શ્રધ્ધાળુ ઓને સંત દર્શન અને મહાપ્રસાદ નો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)