ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ.

જૂનાગઢ

ભારતીય જનતા પાર્ટી, જુનાગઢ મહાનગર નાં પ્રભારી મુકેશભાઈ દાસાણીનાં અધ્યક્ષસ્થાને રાષ્ટ્રવ્યાપી સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત ગીરનાર કમલમ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન મહામંત્રીશ્રી મનનભાઈ અભાણી,વિનુભાઇ ચાદેગરા, પુનિતભાઈ શર્મા, પ્રદિપભાઇ ખીમાણી, હરેશભાઈ પરસાણા એ કાર્યકરો ને માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમ નું સંચાલન વિનુભાઇ ચાંદેગ્રા એ કર્યું હતું.

પુર્વ મેયર ગીતાબેન પરમાર જયોતિબેન વાછાણી, મોહનભાઈ પરમાર ભરતભાઇ બાલસ, આધ્યાશકિતબેન મજમુદાર, સુરેશ પાનસુરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું મિડીયા સંકલન કેતન નાઢા એ કર્યું હતું તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)