ભાવનગર એલસીબીએ તીનપત્તી જુગાર રમતાં 3 ઈસમોને રોકડ ₹11,300ના મુદ્દામાલ સાથે ઝડપ્યાં.

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)ની ટીમે ગંજીપત્તાના પાનાં વડે હાર-જીતના તીનપત્તી જુગાર રમતાં ત્રણ ઈસમોને રંગેહાથ પકડી લીધા છે. કાર્યવાહી દરમિયાન જુગારમાંથી મળેલી રોકડ રકમ ₹11,300 કબ્જે કરી, છટકાઈ ગયેલા ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.

ભવિષ્યમાં આવા જુગારધાંધાને નાબૂદ કરવા માટે ભાવનગર રેન્જના આઈ.જી.પી. ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલે એલસીબી ટીમને કડક સૂચનાઓ આપી છે. એ અન્વયે એલસીબી પોસ ઇન્સ્પેકટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે મોતી તળાવ વિસ્તારમાં રેઈડ કરવામાં આવી હતી.

પકડી પડાયેલા આરોપીઓ: ખાલિદખાન રજાકખાન પઠાણ (ઉ.વ. 49), નૌશાદ ઉસ્માનભાઈ શેખ (ઉ.વ. 34), પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ ગોહિલ (ઉ.વ. 22)

    • ફરાર આરોપીઓ: ઇરફાન ઉર્ફે પાનીયો સુમરા, અકરમ ઉર્ફે ભોપો સુમરા,મનીષ ઉર્ફે છોટુ બારૈયા.

    કબ્જે કરેલ મુદ્દામાલ: ગંજીપત્તાના પાનાં: 52 नग, રોકડ રકમ: ₹11,300/-, કોફી કલરની જાજમ: ₹0, કુલ કુલ કિંમત: ₹11,300/-

    કામગીરીમાં જોડાયેલી ટીમ:
    બાવકુદાન કુંચાલા, વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ, એજાજખાન પઠાણ, માનદિપસિંહ ગોહિલે સફળતાપૂર્વક કાર્યવાહી હાથ ધરી.

    અહેવાલ: સતાર મેતર, ભાવનગર