ભાવનગર, તા. ૧૬ મે:
રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિ વ્યક્ત કરવા માટે ભાવનગર રેલવે ડિવિઝનમાં શુક્રવારે વિશેષ “તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું. મંડળ કાર્યાલયના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, રેલવે સુરક્ષા બળના જવાનો તેમજ સ્કાઉટ અને ગાઇડના સભ્યો એ ઉત્સાહપૂર્વક આ યાત્રામાં ભાગ લીધો.
ડિવિઝનલ ઓફિસથી સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થયેલી આ યાત્રાને ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે લીલી ઝંડી આપીને પ્રારંભ કર્યો. તિરંગા યાત્રા રેલવે કોલોનીના માર્ગમાંથી પસાર થઈ ફરી કાર્યાલય ખાતે સમાપ્ત થઈ.
એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાંશુ શર્માએ રેલવે કર્મચારીઓમાં દેશભક્તિ અને ઉત્સાહના ભાવ જાગૃત કરવા પ્રયત્ન કર્યા. યાત્રા દરમિયાન “ભારત માતા કી જય”, “વંદે માતરમ” અને “જય હિંદ”ના નારા ઝંકાર્યા ગયા.
આ યાત્રાનું આયોજન સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર શ્રી હુબલાલ જગનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ