ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ શહેર ભાજપ દ્વારા મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરી પુષ્પાંજલી કરી.

ભાવનગર

દેશભક્તિ જગાડવા અને સ્વતંત્રતા ની ઉજવણી કરવામાં માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ ચલાવ્યો છે જે અંતર્ગત શહેર ભાજપ દ્વારા ભાવનગર શહેર માં આવેલ મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પુષ્પાંજલી અર્પણ કરી હતી .

શહેર ભાજપ સંગઠન દ્વારા અખંડ ભારત નું સપનું સાકાર થાય તે માટે પોતનું રજવાડુ સરદાર પટેલને આપ્યુ તેવા નિલમબાગ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા ની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી , ત્યાર બાદ જશોનાથ ચોક સ્થિત બાબા સાહેબ આંબેડકર ની મૂર્તિ ની સફાઈ કરાઈ હતી અને ત્યાર બાદ ભાજપ સંગઠન ઘોઘા ગેઈટ સ્થિત શહીદ ભગતસિંહ ની પ્રતિમાને સ્વચ્છ કરી પુષ્પ ની અંજલિ આપી નમન કર્યા હતા .

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)