માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી આયોજીત સરસ્વતી સન્માન સમારોહ યોજાઈ.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરની લોહાણા મહાજન વાડી ખાતે તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી આયોજીત સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યુ હતુ.આ સમારોહમાં પ્રથમ મંડળીના ચેરમેન જેઠાભાઈ નંદાણિયા દ્વારા પ્રાસંગિક પ્રવચન બાદ ઉપસ્થિત લોએજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રી મુકતસ્વરૂપ સ્વામી તથા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ સન્માન સમારોહમાં વર્ષ 2023-24માં ધોરણ -10 અને 12 માં તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવનાર વિધાર્થીઓને શિલ્ડ અને મોમેટો આપી સન્માન કરવા માં આવ્યુ, તેમજ ઉચ્ચ અને વિશિષ્ટ કક્ષાએ પી.એચ.ડી,રમત ગમત ક્ષેત્રે જિલ્લા પ્રથમ,વર્મી કંપોસ્ટ ક્ષેત્રે જાગૃતતા, રાષ્ટ્રીય લેવલ થી સન્માનનીય શિક્ષક નું સન્માન તથા મંડળીના સભાસદ નિવૃત કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું તેમજ આભાર વિધિ મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા એ કરી હતી ,

આ પ્રસંગે માંગરોળ મામલતદાર આર.ડી પરમાર, તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા સાહેબ, પી.આઈ ગોહિલ સાહેબ સહીત શહેર અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ને સફળ બનાવવા મંડળીના મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા સાથે મંડળીના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યુ હતુ,

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)