માંગરોળ નગરપાલિકા દ્વારા શહેરીજનો માટે બે સબવાહીની લોકાર્પણ કરી સુપ્રત કરવામાં આવી.

માંગરોળ

માંગરોળ નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હિન્દુ મુસ્લિમ સમાજના શહેરીજનો માટે બે સબવાહિની ફાળવવામાં આવી.

જે સંદર્ભે આજરોજ નગરપાલિકા ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદ SDM વંદનાબેન મીના, મામલતદાર રાજેશભાઈ પરમાર ચીફ ઓફીસર ઘોડકીયાની ઉપસ્થિતીમાં બે શબવાહિની નું લોકાર્પણ કરી બન્ને સમાજ માટે સુપ્રત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુસ્લિમ સમાજ તરફથી મોહમ્મદ હુશેન ઝાલા, તેમજ હિન્દુ સમાજ તરફથી લીનેશભાઈ સૌમૈયા, કાન્તીભાઈ ચાવડાને અંતિમવાહિની ની ચાવી અર્પણ કરાઈ હતી,

અહેવાલ :- પ્રકાશ લાલવાણી માંગરોળ-જુનાગઢ