માંગરોળ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ દ્વારા નગરમાં પથ સંચલન યોજવામાં આવ્યો.

માંગરોળ

માંગરોળ તાલુકા અને શહેર રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ દ્વારા વિજ્યાદશમી ઉત્સવ સંઘ સ્થાપના દિવસ ની ઉજવણી અંતર્ગત નગરમાં પથ સંચલન યોજવામાં આવ્યુ હતુ.પ્રથમ સ્વામી વિવેકાનંદ સ્કુલના ગ્રાઉન્ડ ખાતે ધ્વજારોહણ કરી સંઘ કાર્યકરો સંઘ ટોપી ગણવેશ ધારણ હાથમાં દંડ લઈ પથ સંચલનની શરૂઆત કરી સરકારી હોસ્પિટલથી હનુમાન મંદિર, જુનાબસ્ટેશન લીમડાચોક થઈ શિરાજરોડ સહીત શહેરના મુખ્યમાર્ગો પર થી પસાર થઈ ફરી વિવેકાનંદ સ્કૂલ ખાતે પુર્ણ કરાયુ હતુ . આ પથ સંચલન શહેર ના મુખ્ય વિસ્તારો પર થી પસાર થતા લોકોએ પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાયુ હતું
આ સંચલનમાં મોટી સંખ્યામાં તાલુકા અને શહેર RSS ના કાર્યકર્તા તેમજ નગરજનો જોડાયા હતા.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી માંગરોળ-જુનાગઢ