જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં સિંધી સમાજના માધવ કરીયાણા વાળા પરસોતમભાઈ કુંદનદાસ તન્ના,ઈશ્વરભાઈ કુંદનદાસ તન્ના,લચ્છભાઈ કુંદનદાસ તન્ના તેમજ મુરલીધરભાઈ કુંદનદાસ તન્નાના માતૃશ્રી સ્વ.રૂપવતીબેન કુંદનદાસ તન્ના(કારેમાં મુખ્યાણી)ઉ.વ.૮૫નું તા.૮\૨\૨૦૨૫ શનિવાર, મહા સુદ અગિયારસના રોજ દુઃખદ અવસાન થયેલ છે,
આ તકે તેમના પરિવાર દ્વારા મૃતકના બંન્ને ચક્ષુનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી આથી માંગરોળ સમસ્ત સિંધી નવયુવક મંડળ પ્રમુખશ્રી પ્રકાશભાઈ લાલવાણીએ શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રી નાથાભાઈને જાણ કરતા લોએજ ગામના રાજેશભાઈ સોલંકીએ મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને વિજયભાઈ વી.જોટવા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.
ચક્ષુદાન લેતી વખતે દિવ્યેશભાઈ ઘેરવડાએ જરુરી મદદ અને સહયોગ આપ્યો હતો.
આજના આ ચક્ષુદાનનો સ્વિકાર ઠાકરભાઈ તન્ના દ્વારા કરવામાં આવ્યો હતો.
તન્ના પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.રૂપવતીબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.
તન્ના પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ, વિશ્વ હિન્દુપરિષદ, વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,ગીરનારી બ્લડ ગૃપ-જુનાગઢ,ભારત વિકાસ પરિષદ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ તેમજ પ્રભાતફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ રૂપવતીબેનના આત્માને ઈશ્વર ચરણમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી.
મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ છીએ.
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)